દયાભાવ અને કરુણા
"દરેક જીવન મહત્વનું છે ભોજન, આશ્રય, આશાનું કિરણ"
અમે દરરોજ 100 થી વધુ રખડતા કૂતરાઓને ખોરાક આપીએ છીએ અને અનાથ બાળકો અને પ્રાણીઓ માટે સલામત આશ્રયસ્થાન બનાવવાનો પ્રયાસ કરીએ છીએ. શ્રી બાલ ગોપાલ સેવા ટ્રસ્ટ એ ગુજરાતનું વિશ્વસનીય animal NGO છે, જે રસ્તાના જીવોની સેવા કરે છે…
જયદેવ બાપૂનું સપનું અનાથ આશ્રમ માટે એક પવિત્ર સંકલ્પ
શ્રી બાલ ગોપાલ સેવા ટ્રસ્ટની સ્થાપના જયદેવ બાપૂના પવિત્ર સંકલ્પથી પ્રેરાયેલી છે.
તેમનું સપનું છે કે દરેક અનાથ બાળકને પ્રેમપૂર્વક સંભારવાનું અને એક સાચું ઘર આપવાનું. જયદેવ બાપૂએ ગામે ગામે જઈને શ્રી રામદેવ માનસ કથાના ભક્તિસભર આયોજનો કર્યા છે, અને આજે પણ તેઓ સંસ્કાર, સેવાભાવ અને આશ્રમ માટે ફંડ એકત્ર કરી રહ્યા છે. તેમની નિષ્ઠા, ભક્તિ અને માનવીય પ્રેમ અમારા સમગ્ર કાર્ય માટે એક મોટું પ્રેરણાસ્ત્રોત છે.


"આજે દાન કરો – ભુખ્યાંને ભોજન આપો, જીવ બચાવો"
અમે એક વિકસતી NGO છીએ જે ભૂખ્યા લોકોને ભોજન આપવા, ઘાયલોને સાજા કરવા અને એક દિવસ ત્યજી દેવાયેલા લોકો માટે આશ્રય બનાવવા માટે દરરોજ કામ કરે છે.અમારું ધ્યેય દૈનિક ખોરાક પૂરતું મર્યાદિત નથી – અમે એવા ભવિષ્યની કલ્પના કરીએ છીએ જ્યાં દરેક રખડતા લોકોને ઘર કહેવા માટે સલામત સ્થાન હોય.અમારું લક્ષ્ય એક સંપૂર્ણ સુવિધાયુક્ત પ્રાણી સંભાળ કેન્દ્ર અને અનાથાશ્રમ બનાવવાનું છે, જે ફક્ત ખોરાક અને આશ્રય જ નહીં, પરંતુ તબીબી સંભાળ, પુનર્વસન અને આજીવન રક્ષણ પણ પૂરું પાડે છે.શેરીઓથી સલામતી સુધી – અમે કરુણાનો પુલ બનાવી રહ્યા છીએ, એક સમયે એક જીવન.
સંસ્થા નો મુખ્ય ઉદેશ્ય

અનાથાલય બનાવવું
અનાથ અને નિરાધાર બાળકો માટે પ્રેમથી ભરેલું ઘર તૈયાર કરવાનું અમારું સ્વપ્ન છે, જ્યાં તેઓને સંસ્કાર, શિક્ષણ અને સંભાળ મળી રહે.
અમે એક એવું આશ્રમ સ્થાપવા ઈચ્છીએ છીએ જ્યાં દરેક બાળક સુરક્ષિત અને સ્નેહથી જીવન જીવી શકે.

ભોજન સેવા કરવી
દરરોજ ભૂખ્યા જીવોને પોષણયુક્ત ભોજન આપવા માટે અમે સમર્પિત છીએ.
બિનશરતી સેવાભાવે અમે દરરોજ 100+ રસ્તાના કૂતરાઓ અને જરૂરતમંદોને ભોજન પહોંચાડીએ છીએ.

પશુની સારવાર કરવી
જખ્મી અને બીમાર પશુઓને સારવાર, દવા અને સંભાળ આપવું એ અમારું મહત્વપૂર્ણ કાર્ય છે.
પશુપ્રેમ અને દયાભાવથી પ્રેરાઈને અમે રસ્તાના જીવોને જીવનનો હક આપવાનો પ્રયાસ કરીએ છીએ.

ટ્રસ્ટી વિશે
માનવીય મૂલ્યોમાં મજબૂત, નિષ્ઠાવાન અને સેવા ભાવના થી પ્રેરિત એક સમર્પિત ટ્રસ્ટી — જે સંસ્થાના દરેક કાર્યમાં શાંત રીતે, પણ હૃદયપૂર્વક જોડાયેલા છે.
જીવોની સેવા અને સમાજ પ્રત્યે જવાબદારી એ તેમના જીવનના આધારસ્તંભ છે.
Get In Touch With Us!
Phone
+91 9714468263
info@shreebalgopalsevatrust.org
Address
Dholka,Ahmedabad,Gujarat 382225